Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યગૃહમંત્રીએ ગરબા વહેલા શરૃ કરવા પણ જણાવ્યું હોવાનો દાવો
અમદાવાદ તા. ૧૮ઃ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું નિવેદન આપ્યું હતું કે રાત્રે ૧ર વાગ્યા પછી ગરબા નહીં અટકાવવા પોલીસતંત્રને મૌખિક સૂચના આપી છે. તે પછી આ વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચતા હાઈકોર્ટે કહ્યું છે કે જો કઈ નાગરિક ફરિયાદ કરે, તો લાઉડ સ્પીકર પર ગરબા પોલીસ બંધ કરાવી શકશે. સુપ્રિમકોર્ટ અને હાઈકોર્ટ દ્વારા અગાઉ થયેલા આદેશોનું પાલન કરાવવાની જવાબદારી પોલીસતંત્રની છે. એક નાગરિકે આ મુદ્દે હાઈકોર્ટના દ્વાર ખખડાવતા અદાલતે આ નિર્દેશો આપ્યા હોવાનું જાણવા મળે છે. સુત્રોના હવાલાથી આવી રહેલા અહેવાલો મુજબ હર્ષ સંઘવીના કથિત નિવેદન પછી વિવાદ જાગતા એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે હર્ષ સંઘવીએ આયોજકોને વહેલા ગરબા શરૃ કરવાની અપીલ પણ કરી હતી. હવે આ મુદ્દે રાજ્યમાં પોલીસતંત્ર દ્વારા કેવો અભિગમ રહેશે, તે મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે અને જો લાઉડ સ્પીકર દ્વારા ચાલતા ગરબા અંગે ફરિયાદ આવે, તો નિયત સમય એટલે કે રાત્રે ૧ર વાગ્યા પછી પોલીસ યોગ્ય કાર્યવાહી કરી શકે છે. તેવા અહેવાલો આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial