Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિએ ફેમિલી કોર્ટમાં કરી હતી અરજીઃ
જામનગર તા. ૧૮ઃ જામનગરમાં એક યુવાને પોતાના પત્ની અવારનવાર પિયરે ચાલ્યા જતાં હોય અને કેસ કરતા હોવાથી ફેમિલી કોર્ટમાં છૂટાછેડા મેળવવા અરજી કરી હતી. અદાલતે તે અરજી મંજૂર રાખી છે.
જામનગરના ગુલાબનગર માં રહેતા ભરત બાબુભાઈ નકુમના લગ્ન મંજુલાબેન નામના મહિલા સાથે થયા પછી આ દંપતી વચ્ચે ઝઘડા થયા કરતા હતા અને પતિ મજૂરીકામે જાય તે પછી મંજુલાબેન ઘરને તાળંુ મારી માવતરે ચાલ્યા જતા હતા. પરત આવેલા પતિને પાડોશીઓ મારફત તેની જાણ થતી હતી.
આવી રીતે દસેક વખત પત્ની પિયર ચાલ્યા ગયા હતા અને જ્યારે જતા ત્યારે ભરણપોષણ મેળવવા મેળવવા કેસ કરતા હતા. દર વખતે પતિ ભરત નકુમ સમાધાન કરીને પત્નીને તેડી લાવતા હતા. તે પછી ફરીથી મંજુલાબેન ઝઘડો કરી માવતરે ચાલ્યા જતા ભરત નકુમે છૂટાછેડા મેળવવા જામનગરની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.
તે અરજી ચાલવા પર આવતા કારણ વગર પત્ની અલગ રહેતી હોય અને સમાધાન કરવા તૈયાર ન હોય તેમજ પતિ લગ્નજીવન નિભાવવા ઈચ્છતા હોવા છતાં પત્ની સહકાર આપવા તૈયાર ન હોય તેવા સંજોગોમાં છૂટાછેડા મંજૂર કરવા જોઈએ તેવી દલીલ કરાતા અદાલતે પતિની અરજી મંજૂર કરી છે. પતિ તરફથી વકીલ સુરેશ પરમાર, અનિલ પરમાર, પરેશ નકુમ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial