Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રણજીતસાગર રોડ પર બાઈકચાલકે સર્જયો અકસ્માતઃ
જામનગર તા. ૧૮ઃ ભાણવડ નજીકના ત્રણ પાટિયા પાસે ગઈકાલે બપોરે ડબલ સવારીમાં જતાં એક બાઈકને પીકઅપ વાને ટક્કર મારતા બાઈકમાં જઈ રહેલા એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે અને તેમના ભાઈને ઈજા થઈ છે. નગરના રણજીતસાગર રોડ પર એક પ્રૌઢને અજાણ્યું બાઈક ઠોકર મારીને નાસી ગયું છે. ઈજાગ્રસ્તના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શિવા ગામમાં રહેતા નરશીભાઈ પરસોત્તમભાઈ સોનગરા (ઉ.વ.૭૫) અને મુંબઈમાં રહેતા તેમના ભાઈ પ્રવીણભાઈ પરસોત્તમભાઈ સોનગરા ગઈકાલે બપોરે બારેક વાગ્યે જીજે-૧૦-એસ ૨૮૮૨ નંબરના બાઈક પર ત્રણ પાટિયા નજીકથી પસાર થતા હતા.
આ વેળાએ જીજે-૩૭-ટી ૬૯૫૮ નંબરની બોલેરો પીકઅપ વાન પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે બાઈકને ટક્કર મારતા નરશીભાઈ તથા પ્રવીણભાઈ ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા પામેલા પ્રવીણભાઈનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ઘવાયેલા નરશીભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બોલેરોના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે. જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી એમઈએસ કોલોની પાસેથી શનિવારે સાંજે જતાં રમેશભાઈ પાલજીભાઈ ભટ્ટી નામના પ્રૌઢને એક અજાણ્યા બાઈકના ચાલકે હડફેટે લેતાં રમેશભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. અકસ્માત સર્જી બાઈકચાલક પલાયન થઈ ગયો છે. રાજુભાઈ પાલજીભાઈ ભટ્ટીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial