Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૮ઃ ખંભાળીયા શહેરમાં અનેક બ્રાહ્મણ સમાજોની બ્રહ્મપુરીઓમાં વર્ષોથી નવરાત્રિમાં છંદ સાથે માતાજીની સ્તુતિ પુરૃષો દ્વારા ગરબી ગાઈને તથા ઢોલ નગારા સાથે લેવાય છે. જેમાં પુષ્કર્ણા બ્રાહ્મણની બ્રહ્મપુરીમાં ૧૧૦ વર્ષથી ચાલતી ગરબી જાણીતી છે.
વર્ષો પહેલા સ્વ. વલ્લભદાસ બોડા, મથુરભાઈ જોશી, સ્વ. શાંતિલાલ બોડા, સ્વ. વિઠ્ઠલદાસ માધવજી, સ્વ. બાલુ નાનજી હર્ષ દ્વારા પુરૃષોની ગરબીની શરૃઆત કરાઈ હતી તથા માતાજીના ગરબા સાથે ઈશ્વર વિવાહ પણ પ્રતિવર્ષ થાય છે. ૧૦૦ વર્ષ પૂરા થતા દિલીપભાઈ મગનલાલ બોડા, હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા ઉજવણી પણ કરવામાં આવી હતી.
આ બ્રહ્મપુરીમાં મહાદેવ મંદિર તથા ગાયત્રી માતાજીનું પ્રાચીન ભવ્ય મંદિર તથા પ્રાચીન લાકડાની કલાકૃતિ સમાન માતાજીની પ્રતિમા સામે ગરબી અને રોજ વિશિષ્ટ પૂજા થાય છે.
અગાઉ સ્વ. ધર્મેન્દ્રભાઈ આચાર્ય, સ્વ. મગનલાલ બોડા, સ્વ. ભીખુભાઈ બોડા દ્વારા ભવ્ય આયોજન થતું તથા હનુમાનના વેશમાં સ્વ. અજીતભાઈ બોડા છંદ સાથે ગરબા લેતા જોવા લોકો ઉમટતા રહ્યાં હતાં. તો માતાજીની વિદાય સમયે સ્વ. પ્રાણલાલ બોડાના છંદ લોકોની આંખમાં આંસુ લાવી દેતા હતાં.
પુરૃષોની ગરબીની આ પરંપરાને પુષ્કર્ણા બ્રહ્મસમાજના સુનિલભાઈ બોડા, તુષારભાઈ બોડા, હસમુખભાઈ બોડા, સચીનભાઈ બોડા, હેમલભાઈ બોડા દ્વારા ચાલુ રાખેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial