Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય રિવાબા સહિતનાં મહાનુભાવોનાં હસ્તે દિપ પ્રાગટયઃ
જામનગરમાં લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લાંબા સમયથી નવરાત્રિ પર્વ પણ બાળાઓ તથા તરૂણીઓ માટે 'સરગમ નવરાત્રિ' રૂપે ભવ્ય ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. પ્રદર્શન ગ્રાઉન્ડમાં પરંપરાગત રીતે વિશાળ જગ્યામાં વિશાળ સ્ટેજ પર બાળાઓ ગરબે ઘૂમે છે. બેકગ્રાઉન્ડમાં વિરાટ એલ.ઇ.ડી. સ્ક્રીન પર રાસને અનુરૂપ ચિત્રોનું એનીમેશન અને પ્રેઝન્ટેશન સમગ્ર રાસનું અલગ આભા મંડળ ઉત્પન્ન કરે છે.ધારાસભ્ય રીવાબા જાડેજા બીજા નોરતે ગરબીનાં દિપ પ્રાગટય પ્રસંગે જોડાયા હતાં અને સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું.
ત્રીજા નોરતે અગ્રણીઓ સર્વશ્રી વિપુલભાઇ કોટક, નિલેશભાઇ ઉદાણી, ચેતનભાઇ માધવાણી તથા સ્વામીનારાયણ ગુરૂકુલનાં મહંતનાં હસ્તે દિપ પ્રાગ્ટય કરી ભારતીય સંસ્કૃતિ અનુસાર ગરબા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
પ્રાચીન - અર્વાચીન ગરબીનાં મિશ્રણ સમાન 'સરગમ નવરાત્રિ' પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યોને જાળવી નવા યુગનાં ટ્રેન્ડને પણ અનુસરતી રહે છે તેમ કહી શકાય. બાળકોથી યુવાઓ અને વડીલો સુધીનાં તમામ દર્શકોને આકર્ષીને એક આદર્શ ગરબીનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial