Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરવાજામાં કાણું પાડી તસ્કર ઘૂસ્યોઃ
જામનગર તા.૧૮ ઃ જામનગરના અશોક સમ્રાટ નગરમાં રહેતા એક આસામીના મકાનમાં સોમવારે ધોળે દહાડે ચોરી થઈ છે. પાછળના ભાગમાં આવેલા દરવાજામાંથી ઘૂસી ગયેલા તસ્કરે રૃા.૨૬ હજાર રોકડા ચોરી કર્યા છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે આવેલી નિલકમલ સોસાયટીની શેરી નં.૬ના છેવાડે અશોક સમ્રાટ નગરમાં વસવાટ કરતા ધર્મેન્દ્રસિંહ લખુભા જાડેજાના રહેણાંક મકાનમાં સોમવારની સવારના નવ વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા દરમિયાન કોઈ તસ્કરો ઘૂસી ગયા હતા.
તે મકાનના પાછળના ભાગમાં આવેલો દરવાજો ખોલવા માટે તસ્કરે તે દરવાજામાં કાણંુ પાડ્યું હતું. તે પછી દરવાજો ખોલી નાખી ઘૂસેલા તસ્કરે અંદર પડેલી તિજોરીના ખાનામાંથી રૃા.૨૬ હજાર ઉઠાવી લીધા હતા.
સોમવારે બપોરે ઘેર આવેલા ધર્મેન્દ્રસિંહને ચોરીની જાણ થયા પછી ગઈકાલે તેઓએ સિટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૪૫૪, ૩૮૦ હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial