Advertisement
Author: નોબત સમાચાર

રણજીતસાગર રોડ પર ઢોરના ડબ્બામાં મૃત ઢોર-સફાઈનો અભાવઃ આક્રોશ

કોંગ્રેસના આગેવાનોની ઓચિંતી મુલાકાત દરમિયાન ગંભીર ક્ષતિઓ થઈ ઉજાગરઃ

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ઉપરાંત ક્ષમતા કરતા વધુ ઢોર રાખવામાં આવ્યા છે. અહિં અનેક પ્રકારની ક્ષતિ નજરે ચઢી હતી. જામનગર મહાનગરપાલિકા સંચાલિત રણજીતસાગર માર્ગે આવેલા ઢોરના ડબ્બાની ગઈકાલે મહાનગરપાલિકાના વિપક્ષી નેતા તથા કોંગ્રેસ આગેવાનો દ્વારા આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ સમયે ત્યાં અનેક સમસ્યા જોવા મળી હતી. એક વાછરડું મૃત હાલતમાં જોવા મળ્યું હતું. સફાઈનો અભાવ, ઢોરને પાણી પીવા માટેના અવેડા ખાલી નજરે ચઢ્યા હતાં. સફાઈનો પણ અભાવ જોવા મળ્યો હતો. તેમજ ક્ષમતા કરતા વધુ ઢોર નજેર ચઢ્યા હતાં. છેલ્લા નવ માસમાં ૯૮૬ ઢોરના મૃત્યુ થયા છે. જામનગર મહાનગરપાલિકાના નવા પદાધિકારીઓ સફાઈ અભિયાન ચલાવી રહ્યા છે, પરંતુ ઢોરના ડબ્બામાં સફાઈ જોવા મળી ન હતી. પ૦ થી ૬૦ ઢોરની વ્યવસ્થા સામે ૪૬૭ ઢોર રાખવામાં આવ્યા છે. આમ અનેક અસુવિધા સાથે ઢોર પણ ભાંભરડા નાખતા નજરે ચઢ્યા હતાં.  કોંગ્રેસની આ ઢોરના ડબ્બાની મુલાકાતના કાર્યક્રમમાં મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, કોર્પોરેટરો અલ્તાફ ખફી, જેનબબેન ખફી, રચનાબેન નંદાણિયા, પૂર્વ કોર્પોરેટર આનંદ ગોહિલ સહિતનાઓ જોડાયા હતાં અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh