Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી એલસીબીઃ બે ઝડપાયા

નવ ચોરાઉ મોબાઈલ, બાઈક કબજેઃ

જામનગર તા. ૧૮ઃ ખંભાળિયાના વાડીનાર ગામમાં શનિવારે કેટલાક મકાનોના તાળા તોડી સાત મોબાઈલની ચોરી થઈ હતી. તે ગુન્હાની તપાસમાં એલસીબીએ વાડીનારના જ બે શખ્સને નવ ચોરાઉ મોબાઈલ સાથે પકડી પાડી ગુન્હામાં વાપરેલું બાઈક કબજે કર્યું છે.

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામમાં રહેતા કુલદીપસિંગ ગુરૃમીતસિંગ નામના આસામી સહિતના વ્યક્તિઓના મકાનના તાળા તોડી તેમાંથી સાત મોબાઈલ ફોનની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ થયા પછી દેવભૂમિ દ્વારકા એલસીબી દ્વારા તપાસ શરૃ કરાઈ હતી.

તે દરમિયાન ખંભાળિયામાં બે શખ્સ મોબાઈલ વેચવાની તજવીજ કરતા હોવાની બાતમી એલસીબીને મળતા પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચરના વડપણ હેઠળની એલસીબી ટીમ વોચમાં ગોઠવાઈ હતી.

તે દરમિયાન જીજે-૧૦-એએફ ૮૮૬૦ નંબરના બાઈક પર વાડીનાર તરફથી આવી રહેલા બે શખ્સને અટકાયતમાં લેવાયા હતા. વાડીનારમાં રહેતા હમીદ હારૃન સંઘાર તથા ઈરફાન ઈબ્રાહીમ સુંભણીયા નામના આ શખ્સોની તલાશી લેવાતા તેની પાસેથી નવ મોબાઈલ મળી આવ્યા હતા. તે મોબાઈલ અંગે પૂછપરછ કરાતા આ શખ્સોએ વાડીનારમાંથી તેની ચોરી કર્યાની કબૂલાત કરી છે. એલસીબીએ રૃા.૩૬ હજારના મોબાઈલ અને રૃા.૨૦ હજારના બાઈક સાથે બંનેની અટકાયત કરી છે. આ શખ્સો સળિયા વડે બંધ મકાનનું તાળું તોડી ચોરી કરવાની આદત ધરાવે છે. બંને શખ્સનો કબજો વાડીનાર પોલીસને સોંપવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh