Advertisement
Author: નોબત સમાચાર

સાત સભ્યોના ૧૯ જિલ્લાઓના સંખ્યાબંધ આરોગ્ય કેન્દ્રમાં લોલંલોલ

આઈસીએમઆર, બીએચયુ અને ડબલ્યુએચઓના સંયુક્ત સર્વેક્ષણમાં ચોંકાવનારો ઘટસ્ફોટઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. રઃ આઈસીએમઆર, ડબલ્યુએચઓ અને બીએચયુના એક સંયુક્ત સર્વેક્ષણમાં ૭ રાજ્યોના ૧૯ જિલ્લાઓના અનેક સ્વાસ્થ્ય કેન્દ્રોની પોલ ખુલી ગઈ છે. ગ્રામીણ ક્ષેત્રોની હોસ્પિટલોમાં દવાઓનો અપૂરતો જથ્થો અને ડોક્ટર પણ નહિ. સ્વાસ્થ્ય કેન્દ્રોમાં ડાયાબિટીસ અને હાઈબીપીની દવાઓ વર્ષની શરૂઆતમાં જ ખાલીખમ થઈ જતા બાકીના મહિનાઓમાં દર્દીઓ દવા વગર રહેતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

ભારતમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરના દર્દીઓની ઝડપથી વધતી સંખ્યા વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી આરોગ્ય કેન્દ્રો પૂરતી દવાઓ પૂરી પાડી શકતા નથી. આ બિન-ચેપી રોગો માટે આવા તબીબી સંચાલન કરવામાં આવી રહ્યા છે જેમાં ગ્રામીણ આરોગ્ય કેન્દ્રોમાં વાર્ષિક ધોરણે આવતી દવાઓ ત્રણથી ચાર મહિનામાં ખતમ થઈ જાય છે, અને તે પછી બાકીના સાતથી આઠ મહિના સુધી દર્દીઓ રામભરોસે રહેતા હોવાનો ચોંકાવનારો ઘટનાસ્ફોટ થયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અને બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંયુક્ત સર્વેક્ષણના અહેવાલમાં આ ખુલાસો થયો છે, જેમાં સાત રાજ્યોના ૧૯ જિલ્લાઓમાં સરકારી અને ખાનગી આરોગ્ય કેન્દ્રોની ડાયાબિટીીસ અને હાઈ બ્લડપ્રેશર વ્યવસ્થાપન સુવિધાઓની તપાસ કરવામાં આવી હતી. વર્ષ ર૦ર૧ અને ર૦ર૩ માં બે વાર હાથ ધરાયેલી આ તપાસમાં ટીમે ૪૧પ આરોગ્ય કેન્દ્રોનો સર્વે કર્યો હતો જેમાં ૭પ.૭ ટકા સરકારી અને ર૪ ટકા ખાનગી હોસ્પિટલોનો સમાવેશ થતો હતો. આમાં મુખ્યત્વે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબ-કેન્દ્રો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો, જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોનો સમાવેશ થતો હતો.

તપાસ દરમિયાન સર્વે ટીમને ૧૦પ પેટા કેન્દ્રોમાંથી ૩૭ (૩પ.ર ટકા) માં મેટફોર્મિન (ડાયાબિટીસ દવા) ના ખાલી બોક્સ અને ૪૭ (૪૪.૮ ટકા) માં એમ્લોડિપિન (બ્લડપ્રેશર દવા) ના ખાલી બોક્સ મળ્યા. અહીં હાજર આરોગ્ય કર્મચારીઓએ ખુલાસો કર્યો કે સરેરાશ આ બોક્સ સાત મહિનાથી છાજલીઓમાં ખાલી પડેલા છે, કારણ કે જ્યારે દવાઓ અહીં વાર્ષિક ધોરણે અવો છે, ત્યારે આ દવાઓ પહેલા ત્રણથી ચાર મહિનામાં જ સમાપ્ત થઈ જાય છે. જ્યારે આ ગ્રામીણ આરોગ્ય કેન્દ્રો સાથે સંકળાયેલી જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશરની દવાઓની તપાસ કરવામાં આવી હતી, ત્યારે પૂરતો દવા સંગ્રહ હતો, પરંતુ સરકારી તંત્રમાં એવી કોઈ વ્યવસ્થા નથી કે જેના દ્વારા આ દવાઓ અહીંથી એવી જગ્યાએ લઈ જઈ શકાય જ્યાં હજારો ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ જીવનરક્ષક દવાઓના અભાવે પીડાઈ રહ્યા છે.

આ સર્વે રિપોર્ટમાં સંશોધકોએ કહ્યું છે કે, ડોક્ટરો, સ્ટાફ અને રાષ્ટ્રીય બિન-સંચારી રોગ નિયંત્રણ કાર્યક્રમના માર્ગદર્શિકા સંબંધિત તૈયારીઓ મહત્તમ ૭૦ ટકા આરોગ્ય કેન્દ્રોમાં જોવા મળી હતી, જ્યારે આ કેન્દ્રોમાં તબીબી સાધનોની ઉપલબ્ધતા વધુ સારી છે. આ દર્શાવે છે કે સાધનોની તુલનામાં દવાઓ અને માનવ સંસાધનોનો અભાવ બિન-સંચરી રોગોની સારવારમાં અવરોધ છે.

તેવી જ રીતે સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં નિષ્ણાત ડોકટરોની ભારે અછત હતી, જે ગ્રામીણ આરોગ્ય આંકડા અહેવાલ ર૦ર૦-ર૧ સાથે મેળ ખાય છે. આ મુજબ ઘણાં સ્તરે ૮ર.ર ટકા ડોક્ટરો અને ૮૩.૮૩ ટકા સર્જનોની અછત છે. કેન્દ્ર સરકાર ડાયાબિટીસ અને હાલ બ્લડપ્રેશર જેવા બિન-ચેપી રોગો માટે રાષ્ટ્રીય કાર્યક્રમ ચલાવી રહી છે.

આયુષ્માન આરોગ્ય મંદિરોમાં, આ રોગો માટે પરીક્ષણ, સારવાર અને દવાની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે, પરંતુ સંશોધકોએ સર્વેષણમાં શોધી કાઢ્યું કે પેટા-કેન્દ્રો અને સામૂદાયિક આરોગ્ય કેન્દ્રોમાં સૌથી ઓછી તૈયારી જોવા મળી હતી, જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં તૈયારી થોડી વધુ હતી.

આરોગ્ય નિષ્ણાતોની ટીમે આ સર્વેક્ષણ પર એક અભ્યાસ પણ કર્યો છે, જે ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રીસર્ચમાં પ્રકાશિત થયો હતો. બેંગ્લોરના આઈસીએમઆરના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઈન્ફોર્મેટિક્સ એન્ડ રીસર્ચ, એમએસ રામૈયા મેડિકલ કોલેજ, દિલ્હીના આઈએનસીએલઈએન ટ્રસ્ટ ઈન્ટરનેશનલ, તેમજ જોધપુર, ભૂવનેશ્વર અને રાયપુર એઆઈઆઈએમએસના કોમ્યુનિટી મેડિસિન વિભાગના નિષ્ણાતોએ આ ટીમમાં યોગદાન આપ્યું છે.

આ ઉપરાંત મૈસુરની જેએસએસ મેડિકલ કોલેજ અને કર્ણાટકની સિદ્ધગંગા મેડિકલ કોલેજના ડોક્ટરોનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સાત રાજ્યોના આ જિલ્લાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં હરિયાણા (ફરીદાબાદ, ભિવાની), કર્ણાટક (બેંગ્લોર અર્બન, તુમકુર, મૈસુર), રાજસ્થાન (જોધપુર, અજમેર અને અલવર), મેઘાલય (પૂર્વ ખાસી હિલ્સ, પશ્ચિમ ગારો હિલ્સ), ઓડિશા (મયુરભંજ, પુરી, નયાગઢ, અંજુમ), મધ્યપ્રદેશ, વિહતપુર પ્રદેશ, છત્તીપુર, અંજામ (દુર્ગ, કાંકેર) નો સમાવેશ થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh