Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃત્યુ પામેલા વૃદ્ધના પુત્રનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૨: કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામના એક વૃદ્ધ શનિવારે સાંજે પોતાના પત્ની સાથે બાઈકમાં જતા હતા ત્યારે મોટા ભાડુકીયા ગામ પાસે ચાલુ વાહને ચક્કર આવતા પછડાયા હતા. તેઓનું હેમરેજ થઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના મણવર ખીજડીયા ગામના સુખદેવસિંહ બળવંતસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા નામના ૬૫ વર્ષના વૃદ્ધ તથા તેમના પત્ની નંદુબા શનિવારે સાંજે છએક વાગ્યે ભગત ખીજડીયા ગામથી મોટા ભાડુકીયા ગામ તરફ જીજે-૧૦-બીપી ૩૦૨ નંબરના મોટરસાયકલમાં જતા હતા.
તેઓ જ્યારે મોટા ભાડુકીયા નજીક પહોંચ્યા ત્યારે ચક્કર આવતા સુખદેવસિંહ મોટરસાયકલ સાથે પડી ગયા હતા. રોડ પર જોશભેર પછડાયેલા આ વૃદ્ધને માથા તથા ડાબા પડખામાં ઈજા થતા તેઓ બેભાન બની ગયા હતા. સારવાર માટે કાલાવડ દવાખાને લઈ જવામાં આવેલા આ વૃદ્ધને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તેમના પુત્ર નરેન્દ્રસિંહ સુખદેવસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial