Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંતાનમાં પુત્ર ન હોવાના વસવસાથી વિષપાનઃ
જામનગર તા. ૨: ધ્રોલના મોટા વાગુદળ ગામના એક યુવાને સંતાનમાં ત્રણ પુત્રી અવતરી હોવાથી અને પુત્ર ન હોવાના વસવસા સાથે ગઈકાલે સવારે પોતાના ખેતરે જઈ વિષપાન કર્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. તે ઉપરાંત દ્વારકાના એક યુવાને ધંધો સેટ નહીં થઈ શકતા નાસીપાસ થઈ ગળાફાંસો ખાઈ લીધો છે.
ધ્રોલના મોટા વાગુદળ ગામના વતની અને હાલમાં ધ્રોલમાં ગોકુલપાર્ક-રમાં રહેતા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા નામના આડત્રીસ વર્ષના યુવાનને સંતાનમાં ત્રણ પુત્રી પ્રાપ્ત થઈ હતી.
પોતાને સંતાનમાં પુત્ર ન હોવાનો અવાર નવાર અફસોસ કરતા રહેતા પ્રદ્યુમનસિંહે ગુમસુમ બની ગયા પછી રવિવારે સવારે મોટા વાગુદળ ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે જઈ કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતાં આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ અલ્પેશસિંહ જાડેજાએ પોલીસને જાણ કરી છે.
દ્વારકા શહેરમાં કાનદાસ બાપુ આશ્રમ રોડ પર શ્યામવાડી નજીક રહેતા જયેશભાઈ વેલજીભાઈ કણઝારીયા (ઉ.વ.ર૪) નામના સતવારા યુવાને શુક્રવારની રાત્રે સાડા બાર વાગ્યાથી શનિવારની સવાર સુધીમાં પોતાના ઓરડામાં એક ઓઢણી વડે પંખામાં ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા વેલજીભાઈ કલાભાઈ કણઝારીયાએ પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ તેમના પુત્ર જયેશે ઘરનો ધંધો જમાવવા માટે મહેનત કરી હતી પરંતુ ધંધો જામી નહીં શકતા નાસીપાસ થઈ ગયેલા તેમના પુત્રએ આત્મહત્યા વ્હોરી લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial