Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકામાં યાત્રિકોના ખોવાઈ ગયેલા મોબાઈલ-પર્સ શોધી આપતી પોલીસ

એક યુવાને સામાન મળતા પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: દ્વારકામાં દર્શનાર્થે આવેલા વસારીના યાત્રિક પરિવારના ખોવાઈ ગયેલા ફોન તથા પર્સ એક યુવાનને મળ્યા પછી તેઓએ પોલીસ પાસે જઈ વાત કરી હતી અને પોલીસે ફોન, પર્સ તેના મૂળ માલિકને પરત સોંપી આપ્યા છે.

સુરત નજીકના નવસારીમાં વસવાટ કરતા એક પરિવારના કેટલાક વ્યક્તિઓ યાત્રાધામ દ્વારકામાં દર્શનાર્થે આવ્યા હતા.

તે દરમિયાન આ યાત્રિકોના એપલ કંપનીના બે મોબાઈલ તથા પર્સ ખોવાઈ ગયા હતા. હાંફળા ફાંફળા બની આ યાત્રિકોએ શોધખોળ ઉપરાંત પોલીસને જાણ કરી હતી. તે દરમિયાન દ્વારકામાં ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા મયુરભાઈ નામના આસામીને તે વસ્તુઓ મળી આવતા તેઓએ પોલીસનો સંપર્ક કર્યા પછી તે ચીજવસ્તુ ખરાઈ કરીને પોલીસે તેમના મૂળ માલિકને પરત સોંપી આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh