Advertisement
Author: નોબત સમાચાર

નિવૃત્ત સફાઈ કામદારોને હાલાકીઃ સી.એમ.ને રાવ

જામ્યુકોની સોલીડ વેસ્ટ અને એસ્ટા. શાખામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગર મહાનગર પાલિકાની સોલીડ વેસ્ટ શાખા અને એસ્ટા. શાખામાં નિવૃત્ત સફાઈ કામદારોને પેન્શન વગેરે બાબતે હેરાન-પરેશાન કરવામાં આવે છે. રાષ્ટ્રીય દલિત પછાત અલ્પ સંખ્યક મોર્ચો-ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ મહેશ વાઘેલાએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ કરતા જણાવ્યું છે કે, જામનગર મહાનગર પાલિકાની આ બન્ને શાળામાં નિવૃત્ત સિનિયર, સફાઈ કામદારોને બેસવા માટે ખુરશી પણ આપવામાં આવતી નથી, તેમજ પીવાના પાણીની પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ નથી. આમ સોલીડ વેસ્ટ અને એસ્ટા. શાખામાં અછુત જેવું વર્તન કરવામાં આવે છે. નિવૃત્ત સફાઈ કર્મચારીને સતત હેરાનગતિ કરવામાં આવે છે તો જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh