Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગંદકી દૂર કરવાની સાથે માપણીની કામગીરી કરાશેઃ
ખંભાળીયા તા. રઃ ખંભાળીયામાં વર્ષોથી ઘી નદી તથા તેલી નદીમાં થતી ગંદકી દૂર કરવા રૂ. ૨૭ કરોડ ઉપરાંતના ખર્ચે ખાસ પ્રોજેકટ મંજુર થયો છે જેની તૈયારીમાં બંને નદીની પણ સફાઈ થઈ જશે.
ગાંધીનગરથી આ પ્રોજેકટ માટે નદીઓની માપણી કરવા માટે ખાસ ટીમનું આગમન થયું હતું. જે ટીમ દ્વારા ઘી તથા તેલી નદી બન્નેની હાલની સ્થિતિ તથા અગાઉના નકશામાં તેની સ્થિતિ પ્રમાણે માપણી કરતા અનેક બાંધકામો નદીમાં થયેલા છે તો તેની સાથોસાથ બન્ને નદીના કાંઠા તર બીનખેતીના મહત્ત્વના નિયમનું ભંગ થયાનું પણ બહાર આવતા તંત્ર દ્વારા આ બાબતે કામગીરી હાથ ધરાઈ છે.
નિયમ મુજબ નદીથી ૩૦ મીટર સુધી પાકુ બાંધકામ ના થઈ શકે તેના બદલે અહીં નદીની તદ્ન નજીક સુધી બાંધકામ કરાયુ હોય ઘી નદીમાં તો લોકો રાજાશાહીના સમયમાં નદીના ઘાટ કે જ્યાં નહાવા જતા ત્યાં સુધી બીનખેતી કરનારાઓએ પોતાના પ્લોટ નદીની સાવ નજીક દેખાડયા છે. ખરેખર બીનખેતીના હુકમમાં જ આ જગ્યા નદીથી નિયમ મુજબ દૂર રાખવા હૂકમ થયો હોય, આ બાબતે પણ પાલિકાતંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial