Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા તા. રઃ સલાયા બંદરે માછીમારોની બોટોના ઢગલા ખડકાયા છે. દરિયામાં જવા પર પ્રતિબંધ હોવાથી બે મહિના ફિશીંગ બંધ હોવાથી આમ થયું છે. ગઈ સિઝન માછીમારો માટે અત્યંત નબળી ગઈ, ઘણાં માછીમારોની આર્થિક હાલત કથળી છે. માછીમારોની સિઝન નબળી જતા વેપારીઓને પણ ધંધામાં મંદીની અસર થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર ઉપર હાલ માછીમારોની બોટોના .ટલા ખડકાયા છે. હાલ બે માસ દરિયામાં વરસાદી સિઝનમાં દરિયો ખેડવો જોખમી હોઈ, દરિયામાં જવા ઉપર પ્રતિબંધ છે. જેથી હાલ તમામ ફિશીંગ બોટો બંદર ઉપર લાંગરી દેવામાં આવી છે. આ બંધ સિઝન દરમિયાન આ માછીમાર ભાઈઓ આ બોટનું રિપેરીંગ કરે છે, તેમજ આ સમય દરમિયાન સલાયામાં લગ્નની સિઝન પણ ખુલે છે.
મોટા પ્રમાણમાં આ બે માસમાં માછીમાર ભાઈઓ તેમજ અન્ય મુસ્લિમ પરિવારોમાં લગ્ન પ્રસંગ આ બે માસ દરમિયાન જ વધું હોઈ છે. ગઈ સિઝન માછીમારો માટે ખૂબ નબળી પૂરવાર થઈ હતી. જાણવા મળેલ વિગત અનુસાર કેટલાય માછીમારોએ ગઈ સિઝનમાં પૈસા તોડ્યા છે. ખર્ચના પ્રમાણમાં એમને માછીમારી ઓછી થઈ છે તેમજ વાતાવરણ પણ અનુકૂળ રહ્યું ન હોઈ, ફિશીંગ નબળ રહી હતી, જેની સીધી અસર સલાયાના આર્થિક વ્યવહારો પર પડી છે.
સાલાયમાં મોટાભાગનું અર્થતંત્ર માછીમારોની આવક ઉપર નિર્ભર હોય છે. જેથી દરેક જગ્યાએ આખી અસર પડશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial