Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયોઃ
જામનગર તા. ૨: જામનગરના એક મહિલા તેમજ દરેડ, નાઘુના, ચેલા વગેરે સ્થળે રહેતા પંદર આસામીના મોબાઈલ ખોવાઈ ગયાની પોલીસને જાણ કરાયા પછી પોલીસે તે તમામ પંદર મોબાઈલ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત સોંપ્યા છે.
જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુદા જુદા સમયે જામનગરના સાધના કોલોનીમાં રહેતા એક મહિલા તેમજ દરેડ, નાઘુના, ચેલા ગામના રહેવાસીઓ અને ફોરેસ્ટ ઓફિસ પાસે વસવાટ કરતા એક આસામી સહિત પંદર વ્યક્તિએ પોતાના મોબાઈલ ગુમ થઈ ગયાની જાણ કરી હતી.
આ આસામીઓના ફોન શોધી કાઢવા માટે પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સીઈઆઈઆર પોર્ટલની મદદ મેળવી હતી. તેના કારણે આ તમામ પંદર આસામીના મોબાઈલ રીકવર થઈ શક્યા હતા.
આ આસામીઓને તેમના ફોન પરત આપવાનો કાર્યક્રમ તાજેતરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત રાખવામાં આવ્યો હતો અને પોલીસે તમામ આસામીઓને તેમના ફોન પરત આપી દીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial