Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાલી થયેલી જગ્યાની કિંમત અંદાજે રૂ. દોઢેક કરોડ થવા જાય છે
ખંભાળીયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયાની મહત્ત્વની ગણાતી ઘી તથા તેલી નદીની સ્વચ્છતા તથા કાયમી ધોરણે ગંદકી દૂર કરવાના કાર્યમાં ત્રણ દિવસથી ચાલતા ડિમોલીશનમાં અંદાજે દોઢેક કરોડની ૧૫ હજાર ફૂટથી વધુ જગ્યાઓ ખાલી થઈ છે. જેમાં વંડાઓ, બે માળના પાકા મકાનો, દુકાનો, કાચા-પાકા મકાનોનો સમાવેશ થાય છે.
જો કે જે જગ્યાઓ પર ઘી તથા તેલી નદીમાં દબાણો થયા છે તે તમામ સ્થળો પર ગાંધીનગરની ટીમ દ્વારા રેખા દોરીને જગ્યા નિયત કરાઈ હોય તથા હાલ સમગ્ર રાજ્યમાં દબાણો બાબતે સરકારી તંત્ર કડક સ્થિતિમાં હોય અહીં પણ કંઈ ચાલશે નહીં તે ખબર પડી જતાં લાખોની જમીન પર થયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાનું કાર્ય ચાલુ થયું છે.
નદી પછી તળાવોનો વારો!!?
ખંભાળીયામાં ઘી તથા તેલી નદીના ડિમોલીશન તથા સફાઈ માટે ડિમોલીશન ચાલે છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ ખંભાળીયાના ગોવિંદ તળાવમાં દબાણો હટાવવા અંગે સરકાર કડક થઈ હોય ખંભાળીયામાં શીરૂ તળાવ, ગોવિંદ તળાવ તથા એક તળાવ તો આખું 'ગુમ' થઈ ગયું છે તે 'રતન તળાવ'ની પણ સફાઈનું ડિમોલીશન શરૂ થાય તેવું સરકારી તંત્રમાં ચર્ચાઈ રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial