Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા
જામનગર તા. રઃ જામનગરમાં દરેડ જીઆઈડીસી વિસ્તારના એક કારખાનમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા તપાસણી કરવામાં આવી હતી, જ્યાંથી ગેરરીતિ ઝડપાઈ છે. કેમિકલવાળું પાણી જાહેરમાં છોડવામાં આવતું હોવાથી તેને નોટીસ પણ પાઠવાઈ છે. આ કારખાના યુનિટ આગેવાનનું હોવાનું જાણવા મળે છે.
દરેડના બીબીસી ઈલેક્ટ્રોપ્લેટર્સ નામના કારખાનામાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કારખાનું ઈલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખ મનસુખભાઈ ચૌહાણનું છે.
જીપીસીબીના અધિકારીના જણાવ્યા મુજબ આ યુનિટમાંથી એસીડ અને કેમિકલ્સવાળું પાણી જાહેરમાં નિકાલ કરવામાં આવતું હોવાનું જોવા મળતા તેને નોટીસ પાઠવાઈ છે. તેમજ આ અંગેનો અહેવાલ વડી કચેરી ગાંધીનગરને મોકલાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial