Advertisement
Author: નોબત સમાચાર

ઉલ્ટી-ઉબકા થયા પછી નગરના યુવાનનું નિપજ્યું મૃત્યુ

હોસ્પિટલમાં તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના જલારામનગર નજીકની સહકાર સોસાયટીમાં રહેતા એક ભોઈ યુવાનને ઉલ્ટી-ઉબકા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે.

જામનગરના ગુરૂદ્વારા સર્કલ નજીક આવેલા જલારામનગર પાસે સહકાર સોસાયટી, મીલ નજીક વસવાટ કરતા  જયેશભાઈ મનસુખભાઈ રાઠોડ (ઉ.વ.૪૬) નામના ભોઈ યુવાન રવિવારે સવારે પોતાના ઘરે હતા. ત્યારે તેઓને ઉલટી-ઉબકા થવા લાગતા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા તેમના પુત્ર રોહનભાઈ રાઠોડે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh