Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભેજનું પ્રમાણ ૭૪ ટકાએ પહોંચતા બફારોઃ
જામનગર તા. રઃ જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા સુધી વધીને ૭૪ ટકાએ પહોંચી જતા બફારો અનુભવાયો હતો. છેલ્લા ત્રણ દિવસથી કોઈ વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન ૩૭ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું.
જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૯ ટકાના વધારા સાથે ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે ખાસ કરીને બપોરે વધારે બફારો અનુભવાયો હતો.
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી મહત્તમ તાપમાનમાં કોઈ વધારો કે ઘટાડો નોંધાયો નથી અને તે ૩૭ ડીગ્રીએ સ્થિર રહ્યું હતું. આંશિક વધીને લઘુતમ તાપમાન ર૯ ડીગ્રી નોંધાયું હતું. તાપમાન વધુ રહેતા ગઈકાલે સવારથી જ વાતાવરણમાં ધીમે-ધીમે ગરમી પ્રસરવા લાગી હતી અને બપોરે વધારે ગરમી અનુભવાઈ હતી.
જામનગરમાં પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪૦ થી ૪પ કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા વાયરાઓના પગલે પ્રજાજનોએ સાંજથી રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial