Advertisement
Author: નોબત સમાચાર

૧૫ દિવસમાં કામ શરૂ કરવામાં નહીં આવે તો પરોડીયાના ગ્રામજનો દ્વારા કરાશે આંદોલન

સલાયાથી પરોડીયાનો માર્ગ અતિ બિસ્માર

                                                                                                                                                                                                      

સલયા તા. રઃ સલાયાથી પરોડીયા જતા રોડની હાલત ખૂબજ ખરાબ હોઈ પરોડીયાના ગ્રામજનો તેમજ  સલાયાના લોકો દ્વારા અવારનવાર આ બાબતે લેખિત તથા મૌખિક રજૂઆતો કરી છે.

આ રોડનંુ કામ ૧૭ વર્ષ પહેલા થયું હતું જે પછી હાલ આ રોડ છે એવું ક્યાંય જણાતુ જ નથી. સદંતર  જીર્ણ થયેલ આ રોડની હાલત એટલી ખરાબ છે કે ત્યાંથી ચાલીને જવામાં પણ મુશ્કેલી પડે છે.  પરોડીયાના લોકોએ જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં માંગણી કરી છે.

જેમાં જણાવ્યા અનુસાર આ  મંજુર થયેલ રોડનું કામ જો ૧૫ દિવસની અંદર ચાલુ નહીં કરાય તો ન છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે  આંદોલન કરવાની ફરજ પડશે. આ રોડની હાલત એટલી હદે ખરાબ હોય, ત્યાં અવારનવાર  અકસ્માતો થાય છે. કેટલાય લોકોને એમાં ફ્રેક્ચરો થયા છે. આમ આવી ખરાબ હાલત હોવા છતાં  તંત્રને કોઈ દરકાર ન હોય એટલે આ કામ ચાલુ થયું નથી. તો તુરંત કામ ચાલુ થાય એવી માંગણી  કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh