Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીઆઈએ ખુદ ફરિયાદી બની ત્રણ સામે ગુન્હો નોંધાવ્યોઃ
જામનગર તા. ૨: જામનગરના મોટા થાવરીયા ગામની સીમમાં શનિવારે સાંજે બખેડો કરતા ત્રણ શખ્સને ધસી આવેલા પીઆઈ સહિતના પોલીસ કાફલાએ છૂટા પડી જવા માટે સૂચના આપ્યા પછી એક શખસે એટ્રોસિટીનો કેસ કરવાની ધમકી આપી હતી અને અન્ય માણસોને એકઠા કરી પોલીસ સાથે બખેડો કરી નાખતા પીઆઈએ ખુદ ફરિયાદી બની હાલમાં ત્રણ શખ્સ સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા ગામની સીમમાં શનિવારે સાંજે ત્રણેક શખ્સ એકઠા થઈ જાહેરમાં બખેડો કરતા હોવાની જાણ થતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એ. પરમારે પીઆઈ મહંમદઝુબેશ નુરમહંમદ શેખ (એમ.એન. શેખ)ને વાકેફ કરતા તેઓ તથા પોલીસ કાફલો ધસી ગયો હતો.
આ સ્થળે જીતેશ ઉર્ફે જીતુ ચનાભાઈ ચાવડા, ઈમ્તિયાઝશા અબ્દુલશા શાહમદાર અને દિગ્વિજયસિંહ મહાવીરસિંહ જાડેજા નામના ત્રણ શખ્સ હાજર હતા. આ શખ્સો સુલેહ-શાંતિનો ભંગ કરતા હતા. તેઓને પીઆઇ એમ.એન. શેખે છૂટા પડી જવા માટે સૂચના આપતા જીતુ ચનાભાઈ ચાવડા નામના શખ્સે તેઓને ગાળો ભાંડવા ઉપરાંત પોતે દલિત આગેવાન છે અને એટ્રોસિટીનો કેસ કરશે તેવી ધમકી આપ્યા પછી અન્ય વ્યક્તિઓને ભેગા કરી સ્થળ પર બોલાવી લીધા હતા અને તે ટોળાએ પીઆઇ શેખને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી પીઆઈ એમ.એન. શેખે ખુદ ફરિયાદી બની ત્રણેય શખ્સો સામે ફરજમાં રૂકાવટ કરવા સહિતની કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial