Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે રોકાણકારને વ્યાજ સાથે તેમનું રોકાણ પરત આપવા ફોરમનો આદેશ

ફરિયાદ ખર્ચની રકમ પણ ચૂકવી આપવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: જામનગરના બે આસામીએ સાત વર્ષ પહેલાં રૂ.ર૧ લાખનું રોકાણ કર્યા પછી તેઓને પાકતી મુદ્દતે જે તે ખાનગી પેઢીએ રકમ ચૂકવવાના બદલે ઠાગાઠૈયા કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે તે રકમ ચૂકવી આપવા પેઢીને આદેશ કર્યાે છે.

જામનગરના વિજયભાઈ તુલસીભાઈ નકુમ તથા સુનિલ ભીખાભાઈ ખખ્ખર નામના બે આસામીએ અનુક્રમે રૂ.૧૦ લાખ તથા રૂ.૧૧ લાખ યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ કો.ઓ. સોસાયટીમાં રોક્યા હતા. તેઓને દર વર્ષે પોણા દસ ટકા લેખે વ્યાજ મળશે તેવી લાલચ બતાવાયા પછી સાત વર્ષ પહેલાં તેઓએ રોકાણ કર્યું હતું.

ત્યારપછી પાકતી મુદ્દતે બંને આસામીને અનુક્રમે રૂ.૧૧,૧૩,૭૫૫ અને રૂ.૧૧,૯૮,૩૧૮ ચૂકવવાના બદલે હેડ ઓફિસથી પૈસા આવે એટલે આપી દઈશું તેવા બહાના બતાવી સમય પસાર કરાવાતો હતો. તેથી બંને ગ્રાહકે પેઢી સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી.

તે બંને ફરિયાદ ચાલી જતાં ફોરમે વિજયભાઈને રૂ.૧૦,૯૭,૫૦૪ તેમજ સુનિલભાઈને રૂ.૧૧ લાખ ૬ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચના રૂ.૮ હજાર અલગથી આપવા યુનિક સ્વયમ મલ્ટીસ્ટેટ કો. ઓ. સોસાયટીને હુકમ કર્યાે છે. બંને ગ્રાહક તરફથી વકીલ યજ્ઞેશ પંડયા, મોનલ ચાવડા, તીર્થ પંડયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh