Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે વાહન ભેળવાઈ જતાં જેસીબીથી છૂટા પડાયાઃ
જામનગર તા. ૧: કલ્યાણપુરના નંદાણા ગામ પાસે ગઈકાલે ખાનગી ટ્રાવેલ્સની બસ પાછળ ટ્રક ટકરાઈ પડતા પાંચેક વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. જેમાં બસના ચાલકનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર આવેલા કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામ પાસે ગઈકાલે દોડી જતી ખાનગી ટ્રાવેલ્સની બસ પાછળ એક ટ્રક ટકરાઈ પડતા બંને વાહનો એક-બીજામાં ભેળવાઈ ગયા હતા.
ત્યાં હાજર લોકો અકસ્માતના પગલે દોડી આવ્યા હતા અને તેઓએ શરૂ કરેલી બચાવ કામગીરીમાં ખાનગી ટ્રાવેલ્સના ચાલક સહિત પાંચ ઈજાગ્રસ્તને બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને ૧૦૮ મારફત સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial