Advertisement
Author: નોબત સમાચાર

પાકનું નુકસાન અંગે સહાય માટ ૭૪ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન અરજીઓ કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં

                                                                                                                                                                                                      

     ખંભાળીયા તા. ૧: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં માવઠાથી થયેલા નુકસાનના સંદર્ભમાં રાજ્યના ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં ઐતિહાસિક ૧૦ હજાર કરોડની પાક નુકસાનીની સહાયની જાહેરાત કરી અને તા. ૨૯-૧૧-૨૫ના અરજી કરવાની મુદ્દત હતી તેમાં વધુ સમય મર્યાદા વધારીને વધુ સાત દિવસ કરાયા છે. ત્યારે દ્વારકા જિલ્લામાં બે દિવસ પહેલા દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં ૭૪ હજાર જેટલા ખેડૂતોએ પાક નુકસાનીની અરજીઓનું રજીસ્ટ્રેશન ઓનલાઈન કર્યું હોય, તેમાં હવે મુદ્દત વધારો થતા હજુ બે-ચાર હજાર અરજીઓ વધશે ત્યારે બે હેકટરની મર્યાદામાં ખેતીવાડી નુકસાનની અરજીઓની ગણતરી કરતા ૩૨૫ કરોડ જેવી રકમનું નુકસાની વળતરમાં રાજ્ય સરકાર દ્વારા ચૂકવણું થવા સંભાવના છે. સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં ૨૭ હજાર ઉપરાંતની નુકસાનીની અરજીઓ થઈ છે. જ્યારે સૌથી ઓછી દ્વારકા તાલુકામાં ૬૭૦૦ ઉપરાંતની અરજીઓ થઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh