Advertisement
Author: નોબત સમાચાર

તામિલનાડુના તિરૂપતૂર નજીક એસ.ટી.ની બે બસો ટકરાતા ૧૧ ના મૃત્યુઃ ૪૦ થી વધુ ઘાયલ

મૃતકોમાં આઠ મહિલા અને બે બાળકો સામેલ

                                                                                                                                                                                                      

ચેન્નઈ તા. ૧: તમિલનાડુમાં એસટીની બે બસો સામ-સામે અથડાતા ૧૧ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં ૪૦ થી વધુ યાત્રી ઘાયલ થયા છે. મૃતકોમાં ૮ મહિલા, બે બાળકો સામેલ છે.

તમિલનાડુના શિવગંગા જિલ્લાના તિરૂપતૂરની પાસે રવિવારે રાજ્ય પરિવહન વિભાગની બે બસો સામ-સામે ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં ૧૧ લોકોના મોત થયા છે, જ્યારે ૪૦ થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે.

મૃતકોમાં આઠ મહિલાઓ, બે બાળકો અને એક પુરુષ સામેલ છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શિવગંગા જિલ્લાના પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ શિવાપ્રસાદે કહ્યું કે, ઘાયલોમાંથી કેટલાકની હાલત ગંભીર છે. રાજ્ય પરિવહન નિગમની બસો સામ-સામે ટકરાઈ છે. આ બન્ને બસો ડ્રાઈવર સાઈડમાં અથડાઈ, જેના કારણે બસો કાટમાળમાં ફેરવાઈ ગઈ. પીડિતોના મૃતદેહો બસની સીટોમાં ફસાઈ ગયા, જેના કારણે બસના કાચ તોડીને અન્ય યાત્રીઓ અને સ્થાનિક લોકોએ મૃતદેહો બહાર કાઢ્યા હતાં.

પોલીસના કહેવામુજબ ટક્કરના કારણે બન્ને બસોનો આગળનો ભાગ સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. આ દુર્ઘટનામાં કેટલાક યાત્રીઓના મોત ઘટના સ્થળે જ થયા હતાં. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઘાયલ થયેલા લોકોને ત્વરિત જિલ્લા હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે.

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને દુર્ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. ઘાયલોને તાત્કાલિક સારી સારવાર આપવા અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ સહાય આપવામાટે અધિકારીઓને સૂચના   આપી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh