Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧પ વર્ષ પહેલાં સમર્પણ સર્કલ નજીકનો બનાવઃ
જામનગર તા. ૧: જામનગરના સમર્પણ સર્કલ પાસે ૧પ વર્ષ પહેલાં પોલીસે ચેકીંગ દરમિયાન એક ખાનગી બસ રોકતા પીએસઆઈ પર લાકડીથી હુમલો કરાયાની અને પીઆઈનો યુનિફોર્મ ફાડી નખાયાની પિતા-પુત્ર સામે ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે બંનેનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈ તા.૧૪-૭-૧૦ના દિને સમર્પણ સર્કલ પાસે તત્કાલિન પીઆઈ વી.પી. વ્યાસ તથા પીએસઆઈ એમ.આર. નકુમના વડપણ હેઠળ ચેકીંગ કરી રહ્યો હતો. ત્યારે એક ખાનગી બસને રોકવામાં આવતા તેનો ચાલક બસ ડીટેઈન થઈ હોવા છતાં પોલીસની નજર ચૂકવી બસ લઈને નીકળી જતા તેની પાછળ ગયેલા પીએસઆઈ નકુમે સાત રસ્તા પાસે તે બસ રોકી હતી અને તે બસને ફરીથી સમર્પણ સર્કલ પર લાવી હતી. ત્યારે ત્યાં મહાવીરસિંહ ખુમાનસિંહ નામના વ્યક્તિએ પીએસઆઈ નકુમની લાકડી ઝૂંટવી લઈ માર માર્યાની અને પીઆઈ વ્યાસનો યુનિફોર્મ ફાડી નાખ્યાની ફરિયાદ કરાઈ હતી.
બનાવના સ્થળે ખુમાનસિંહ ચનુભા રાણા બાઈક પર આવ્યા હતા. તેઓએ પણ પોલીસ અધિકારી-કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી ધમકી આપ્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું અને પીએસઆઈ નકુમને પાંસળીમાં ફ્રેક્ચર થયાનું ઉમેરવામાં આવ્યું હતું. પીએસઆઈ નકુમની ફરિયાદ પરથી ખુમાનસિંહ ચનુભા તથા મહાવીરસિંહ ખુમાનસિંહ રાણા સામે ગુન્હો નોંધાયો હતો.
ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલવા પર આવતા પોલીસે સત્તાનો દૂરઉપયોગ કરી ખોટો કેસ કર્યાની દલીલ કરવામાં આવી હતી અને રજૂ કરાયેલા પુરાવામાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે તેવી દલીલ કરાતા અદાલતે બંને આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ એમ.કે. બ્લોચ, નીખિલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial