Advertisement
Author: નોબત સમાચાર

હરીપર-મેવાસાના યુવાનને પિતરાઈએ લમધાર્યાે

દિગ્જામ સર્કલ પાસે યુવકને છરી બતાવી ધમકીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામજોધપુરના શેઠવડાળામાં કાલાવડના હરીપર ગામના એક યુવાનને તેના બે પિતરાઈએ લમધારી નાખ્યો હતો. જ્યારે દિગ્જામ સર્કલ પાસે એક યુવાનને છરી બતાવી મારી નાખવાની ધમકી અપાઈ હતી.

કાલાવડ તાલુકાના હરીપર ગામમાં આવેલા એક ખેતરમાં મજૂરીકામ કરતા મગનભાઈ મેરૂભાઈ પરમાર નામના દેવીપુજક યુવાનને તેમના મોટા બાપુના દીકરા રાજુ બાઘુભાઈ પરમાર સાથે એકાદ વર્ષ પહેલા બોલાચારી થઈ હતી. તે બાબતનો ખાર રાખી શુક્રવારે સાંજે જ્યારે મગનભાઈ જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં બસ સ્ટેન્ડ પાસે હતા ત્યારે તેમના પર રાજુ બાઘુભાઈ તથા સવજી બાઘુભાઈ પરમારે લાકડીઓ વડે હુમલો કરી માર મારવા ઉપરાંત ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જામનગરના દિગ્જામ સર્કલ પાસે ગઈકાલે રાત્રે રવિ પાર્ક ટાઉનશીપમાં રહેતા રાજદીપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાનને ગાળો ભાંડી છરી બતાવી ઈરફાન જુણેજા નામના શખ્સે પતાવી દેવાની ધમકી આપી હતી. થોડા સમય પહેલાં રાજદીપસિંહના મિત્ર ભાવેશને માથાકૂટ થઈ હતી અને તે પછી ભાવેશ તથા રાજદીપસિંહ સાથે ફરતા હોવાથી ઈરફાન ઉશ્કેરાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh