Advertisement
Author: નોબત સમાચાર

બે વર્ષમાં ૧૩.પ લાખથી વધુ પ્રવાસીઓએ લીધી બ્લુ ફ્લેગ શિવરાજપુરની મુલાકાત

વીજીઆરસીના આયોજનથી શિવરાજપુર અને સ્થાનિક પ્રવાસન ક્ષેત્રના મહત્ત્વને ઉજાગર કરવામાં આવશે

                                                                                                                                                                                                      

દ્વારકા તા.૧: શ્રીકૃષ્ણની નગરી દ્વારકાથી ૧ર કિ.મી.ના અંતરે સ્થિત શિવરાજપુર દરિયાકિનારો તેની વિશોષતાઓના લીધે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યો છે અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્ષ ર૦ર૩ અને વર્ષ ર૦ર૪ માં ૧૩ લાખ પ૮ હજારથી વધુ પ્રવાસીઓને શિવરાજપુર દરિયાકિનારાની મુલાકાત લીધી છે.

આ રીતે સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપીને ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર રાજ્યના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે, અને રાજ્યના વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વિસ્તારમાં પ્રવાસન અને સ્થાનિક આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે અમુક મોટી પહેલો પણ હાથ ધરી છે.

ક્ષેત્ર વિશિષ્ટ રોકાણ મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે. આ કોન્ફરન્સની બીજી આવૃત્તિ ૮-૯ ફેબ્રુઆરીએ રાજકોટમાં યોજાશે. જે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર પર કેન્દ્રિત છે. આ કોન્ફરન્સમાં શિવરાજપુર જેવા પ્રવાસન આકર્ષણોને ઉજાગર કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh