Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિટ એન્ડ રનના બનાવની પોલીસ દ્વારા તપાસઃ
જામનગર તા. ૧: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામના પાટીયા પાસે શનિવારે સવારે એક બાઈક પાછળ અજાણ્યું વાહન ટકરાઈ પડતા બાઈક પર જઈ રહેલા સોળ વર્ષના તરૂણનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. તેના પિતાને ઈજા થઈ છે. પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા વાહનની શોધ શરૂ કરી છે.
જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા મોટા થાવરીયા ગામમાં રહેતા અશોકભાઈ વિઠ્ઠલભાઈ ચોવટીયા નામના યુવાન શનિવારે સવારે છએક વાગ્યે પોતાના ઘરેથી ૧૬ વર્ષના પુત્ર ઋત્વિકને જીજે-૧૦-બીસી ૫૩૬૩ નંબરના મોટરસાયકલમાં સાથે લઈને ઠેબામાં આવતી સ્કૂલ બસમાં બેસાડવા માટે નીકળ્યા હતા. આ પિતા-પુત્ર જ્યારે સાડા છએક વાગ્યે મોટા થાવરીયા ગામના બસ સ્ટેન્ડ પહેલા અડધો કિલોમીટર દૂર હતા ત્યારે કોઈ અજાણ્યું વાહન પુરપાટ ઝડપે ધસી આવ્યું હતું. આ વાહનના ચાલકે પાછળથી ઠોકર મારતા પાછળ બેસેલો ૧૬ વર્ષનો પુત્ર ઋત્વિક મોટરસાયકલ પરથી ઉછળીને રોડ પર પછડાયો હતો અને મોટરસાયકલ સહિત અશોકભાઈ ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં રોડ પર પછડાયેલા ઋત્વિકને માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજા પહોંચતા આ તરૂણનું મૃત્યુ નીપજ્યું છે. જયારે અશોકભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ દ્વારા નાસી છૂટેલા વાહનના ચાલક સામે પંચકોષી એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial