Advertisement
Author: નોબત સમાચાર

જીએસટી વિભાગની ટૂકડીએ નગરના કારખાનેદારની અટકાયત કરીઃ પૂછપરછ

રાજ્યમાં ૮૦૦ કરોડના કૌભાંડની આશંકાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના એક કારખાનેદારને જીએસટી વિભાગની તપાસનીશ ટૂકડીએ અટકાયતમાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યભરમાં રૂ.૮૦૦ કરોડના કહેવાતા આચરાયેલા કૌભાંડમાં નગરના આસામીએ રૂ.સવાસો કરોડનું કૌભાંડ કર્યાનું પ્રાથમિક તબકકે જાણવા મળી રહ્યું છે.

જામનગરના એક કારખાનેદારની જીએસટી વિભાગની ઈન્ટેલીજન્સ ટીમ-ડીજીજીઆઈ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જૂનાગઢમાંથી એક શખસની આ ટીમે કરેલી અટકાયત પછી જામનગરના આ કારખાનેદારને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હોવાનું બિનઆધારભૂત સૂત્રોએ જણાવ્યંુ છે. અંદાજે સવાસો કરોડના એક કૌભાંડમાં પીત્તળના ભંગાર તથા સ્ટીલની ધાતુ અંગેના બોગસ બીલ બની ગયા પછી શરૂ કરાયેલી તપાસમાં નગરના કારખાનેદારને અટકમાં લેવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh