Advertisement
Author: નોબત સમાચાર

જમવા બાબતે દાદી સાથે બોલાચાલી પછી પૌત્રની ટ્રેન આડે ઝંપલાવી લઈ આત્મહત્યા

પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધી તપાસ આદરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના વિજયનગરમાં રહેતા એક યુવાનને દાદીના જમવા બાબતના ઠપકા અને બોલાચાલીના કારણે માઠું લાગી આવતા શનિવારે સવારે ટ્રેન આડે ઝંપલાવી લઈ જિંદગીનો અંત આણ્યો છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલા વિજયનગરમાં મંદિર પાછળ શેરી નં.૬માં વસવાટ કરતા મુકેશભાઈ ગોવિંદભાઈ ચૌહાણ નામના ૨૧ વર્ષના રાજપુત યુવાને શનિવારે સવારે આઠ વાગે વિજયનગર નજીક આવેલા ફાટક પાસે જઈ ત્યાંથી પસાર થતી ટ્રેનની રાહ જોયા પછી જ્યારે ટ્રેન આવી ત્યારે પાટા પર આવી જઈ પડતું મૂક્યું હતું.

આ યુવાનને ટ્રેનના તોતિંગ એન્જિનની ટક્કર વાગવાથી ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. ખુમાનસિંહ ગોવિંદસિંહ ચૌહાણે પોલીસને જાણ કરી છે. આ બનાવ અંગે વધુમાં જાણવા મળ્યા મુજબ મુકેશભાઈને તેના દાદીએ જમવા બાબતે ઠપકો આપતા આ યુવાનને માઠુંં લાગી આવ્યું હતું. આ અગાઉ પણ કેટલીક વખત મુકેશને તેના દાદીએ ઠપકો આપ્યો હોવાથી આ યુવાન જનૂની મિજાજવાળો થઈ ગયો હતો. ત્યારપછી તેણે શનિવારે ઉપરોક્ત આત્મઘાતી પગલું ભરી લીધું છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh