Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોરબંદર પાસે બસને નડ્યો હતો અકસ્માતઃ
જામનગર તા. ૧: પોરબંદરથી ખંભાળિયા જતી એક ખાનગી બસને દોઢ વર્ષ પહેલાં પોરબંદર પાસે અકસ્માત નડ્યો હતો. તેનો ક્લેઈમ ચૂકવવામાં ન આવતા બસના માલિકે ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. ફોરમે વ્યાજ સાથે વળતર ચૂકવી આપવા હુકમ કર્યાે છે.
પોરબંદરથી ખંભાળિયા તરફ જઈ રહેલી જામનગર પાસીંગની એક ખાનગી બસ સાથે ગઈ તા.ર૪-૩-ર૪ના દિને પોરબંદર આરટીઓ ઓફિસ નજીક એક મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં બસ ગોથું મારી જતાં નુકસાન થયું હતું. તેથી તેના માલિક અરજણભાઈ પેથાભાઈ જામે વળતર મેળવવા વીમા કંપનીને જાણ કરી હતી.
ન્યુ ઈન્ડિયા ઈન્સ. કંપનીએ રૂ.પ,૪૩,૭૦૦નું એસ્ટીમેન્ટ મેળવ્યા પછી ક્લેઈમ મુજબની રકમ ચૂકવી ન હતી તેથી અરજણભાઈએ જામનગર ગ્રાહક ફોરમમાં વીમા કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.ર,૪૨,૧૦૦ વ્યાજ સાથે ચૂકવવા અને રૂ.પ હજાર ફરિયાદ ખર્ચ, ત્રાસ બદલ ચૂકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial