Advertisement
Author: નોબત સમાચાર

સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા એક દિવસીય ઉપવાસનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. રઃ જામનગરના સ્થનકવાસી મોટા સંઘમાં અજરામલ સંપ્રદાયના પૂ. બા.બ્ર. વિશ્વાસીનીબાઈ મસા. ના સંસારી ભાભી મુંબઈથી જામનગર વર્ષીતપના પારણા માટે આવ્યા છે. તેમનું પારણું તા. પ-૬-ર૦ર૬ ના દિને થશે. જેના અનુમોદનમાં તા. ૪-૬-ર૦ર૬ ના દિને એક દિવસીય ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેના પારણા તા. પ-૬-ર૦ર૬ ના સવારે ૭-૩૦ વાગ્યે લોકાગચ્છ કુ. પક્ષ જ્ઞાતિની વાડીમાં રાખવામાં આવ્યા છે.

તા. ૪/૬ ના ઉપવાસમાં જોડાવા ઈચ્છુકોએ તેમના નામ મંજુબેન મહેતા તથા અનસુયાબેનને લખાવી દેવાના રહેશે.

તા. ૩/૬ અને તા. ૪/૬ ના ત્રણ, ચાર, પાંચ સામાયિક થશે. જેમાં સવારે ૧૧ થી ૧ર વાગ્યા સુધી તપસ્વીઓની સોજી થશે, તપસ્વીઓના સ્તવન ગાવામાં આવશે. સામાયિક કરનારાનું બહુમાન કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં જોડાવા સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર, દાતા પરિવાર તથા સંઘ દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh