Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે કરી જાહેરાતઃ
જામનગર તા. ર૯ઃ રાજ્ય સરકારે લાલ ડુંગળી પકવતા ખેડૂતો માટે જાહેર કરેલા સહાય પેકેજનો સમયગાળો લંબાવ્યો હોવાનું જાહેર કરતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, આ પેકેજનો લાભ મેળવવા ખેડૂતો આગામી તા. ર૬ મી જુલાઈ, ર૦ર૩ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશે.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી ગુજરાત સરકારે રાજ્યમાં લાલ ડુંગળી પકવતા અને તેનું સૌરાષ્ટ્રના વિવિધ જિલાઓની એ.પી.એમ.સી.માં વેંતાણ કરતા ખેડૂતોને પ્રતિકિલો બે રૃપિયાની આર્થિક સહાય કરવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો હતો. આ પેકેજનો વધુને વધુ ખેડૂતો લાભ લઈ શકે એ માટે પેકેજનો સમયગાળો લંબાવવાનો રાજ્ય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
પટેલે ઉમેર્યું કે, આ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તા. ૧૪ ફેબ્રુઆરીથી ૬ માર્ચ, ર૦ર૩ સુધીના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત થયેલી લાલ ડુંગળીનું એ.પી.એમ.સી.માં વેંચાણ કર્યું હોય તેવા ખેડૂતોને જ આ લાભ મળવાપાત્ર રહેશે તેમ જાહેર કરાયું હતું.
તેમણે ઉમેર્યું કે, આ નિર્ણયના પરિણામે આ સમયગાળા દરમિયાન પોતાના ખેતરમાંથી ઉત્પાદિત થયેલી લાલ ડુંગળી ખેતરથી એ.પી.એમ.સી.માં જ વેંચાણ કરી હોય તેવા અન્ય ખેડૂતોને પણ આવરી લેવામાં આવશે. નવા સમયગાળામાં આવરી લેવાયેલા ખેડૂતો આઈ-ખેડૂત પોર્ટલ (ઙ્મારીઙ્ઘેં.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ/) ઉપર ઓનલાઈન અરજી કરી શકે તે માટે પોર્ટલ આગામી તા. ર૬-૭-ર૦ર૩ સુધી ખુલ્લુ મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial