Advertisement
Author: નોબત સમાચાર

ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઈન્ડિયાના સ્થાપના દિને કાર્યક્રમો

જામનગરમાં તા. ૧ લી જુલાઈના દિવસે

જામનગર તા. ર૯ઃ જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઈસીએઆઈ તથા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુ આઈસીએએસએ દ્વારા ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના ૭પ મા સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આગામી તા. ૧લી જુલાઈ ર૦ર૩ ના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા. ૧લી જુલાઈના સવારે ૯-૩૦ વાગ્યે સીએ ધ્વજવંદનનું આયોજન પ્લોટ નં. ૯૭, ગોલ્ડનસિટી રોડ, પોલીસ હેડક્વાર્ટર પાછળ, જામનગરમાં કરવામાં આવ્યું છે તથા સવારે ૧૧ વાગ્યે બ્લડ ડોનેશન કેમ્પ ૩૦પ, ત્રીજો માળ, મયુર કોમ્પ્લેક્ષ, ખોડિયાર કોલોનીમાં તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ સાંજે ૬ વાગ્યે શ્રી ધન્વન્તરિ ઓડિટોરિયમ, પી.એન.માર્ગ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુઆઈઆરસી ઓફ આઈસીએઆઈના હોદ્દેદારો તથા જામનગર બ્રાન્ચ ઓફ ડબલ્યુ આઈસીએએસએના હોદ્દેદારો અને જામનગરની સીએ મેમ્બર તથા તેમના પરિવારજનો તેમજ સીએના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તેમ ચેરમેન સી.એ. પ્રતીક ચાંદ્રાએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh