Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાની જીવીજે હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવી ચૂકેલા
ખંભાળીયા તા. ર૯ઃ ખંભાળીયાની સરકારી જીવીજે હાઈસ્કૂલમા વર્ષો સુધી શિક્ષણ તથા ઈન્ચાર્જ આચાર્ય તથા આચાર્ય તરીકે ફરજ બજાવનાર જામનગર નવાનગર શાળાના પૂર્વ શિક્ષક તથા ભાણવડના ચોખંડા સરકારી શાળાના આચાર્ય જેઠાલાલ એલ. નકુમ (જતીનકુમાર)નું ગઈકાલે ઊંઘમાં હૃદયરોગના હુમલાથી મૃત્યું થતાં શિક્ષણ જગતમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી.
વર્ગ-ર ના અધિારી જેઠાલાલ (જતીનકુમાર) મૂળ ખંભાળીયાના ઠાકર શેરડી ગામના વતની હતા તથા એક હાથે હેન્ડીકેપ હોવા છતાં કુશળ વહીવટકર્તા તથા શિક્ષણકર્તા હતા તથા ખૂબ સારી કામગીરી કરનાર તેઓ થોડા જ સમયમાં નિવૃત્ત થવાના હતા (પ૮ વર્ષ) ત્યારે પત્ની તથા પુત્રને મૂકી હૃદયરોગના હુમલાની અનંત વિદાય લેતા પરિવાર પર મોટો આઘાત આવ્યો છે. સદ્દગત જેઠાભાઈ નકુમ ખંભાળીયા લોહાણા સમાજ અગ્રણી બાબુલાલ મથુરાદાસ મોદીના જમાઈ હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial