Advertisement
Author: નોબત સમાચાર

'વ્રજ કે નાથ વૈષ્ણવો કે દ્વાર' નામે સંગીતનો ભવ્ય કાર્યક્રમઃ ૪૦ જેટલા કલાકારો કલાની પ્રસ્તુતિ કરશે

ખંભાળિયાના વડત્રા ગામે ગુરુપૂર્ણિમા નિમિત્તે

ખંભાળિયા તા. ર૯ઃ ખંભાળિયાના વડત્રા ગામમાં કથાકાર પૂ. મગનલાલ રાજ્યગુરુ (બાપજી) દ્વારા નિર્મિત વિશ્વનાથ વેદ પાઠ શાળામાં ગુરુપુર્ણિમા નિમિત્તે તા. ૩-૭-ર૦ર૩ ના રાત્રે ૯ થી ૧ર 'વ્રજ કે નાથ વૈષ્ણવો કે દ્વાર' નામે સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શ્રીનાથજી સત્સંગ મંડળ, ઓ કાન્હા ગ્રુપ-મુંબઈ તથા ઈન્ટરનેશનલ મ્યુઝિક ગ્રુપ કલાશ્રી-રાજકોટ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ૪૦ જેટલા કલાકારો ગાયન-વાદન અને નૃત્યની પ્રસ્તુતિ કરશે. સાંસ્કૃતિક સેવા નિધિ ગ્રુપ તથા વડત્રા સમસ્ત ગ્રામજનો દ્વારા પ્રજાજનો અને વૈષ્ણવોને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh