Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નવી દિલ્હી તા. ર૯ઃ ક્રૂડના સતત નીચા ભાવના કારણે ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ પટાડાનું દબાણ સર્જાયું છે. પેટ્રોલ ડીલર વર્તુળમાં થતી ચર્ચા મુજબ સરકાર ૧લી જુલાઈથી પેટ્રોલ-ડીઝલમાં ભાવ ઘટાડો કરે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલમાં હલચલ જણાઈ છે તેના કારણે આ શક્યતા બહાર આવી છે. અમદાવાદમાં હાલ પેટ્રોલનો ભાવ રૃા. ૯૬.૪ર અને ડીઝલનો ભાવ રૃા. ૯ર.૧૭ ચાલી રહ્યો છે.
સરકાર કેટલો ભાવ ઘટાડો કરે છે તેની ચોક્કસ માહિતી બહાર આવી નથી, પરંતુ ડીલર વર્તુળમાં થતી ચર્ચા મુજબ જુલાઈથી ઘટાડો આવી શકે તેમ છે. રાજ્યમાં પ,પ૦૦ કરતા વધુ પેટ્રોલ અને ડીઝલના પંપ આવેલા છે. જ્યાંથી રોજ લાખો રૃપિયાના પેટ્રોલ-ડીઝલનું વેંચાણ થાય છે. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવના કારણે મધ્યમવર્ગીય પરિવારોની કમર તૂટી ગઈ છે.
મોંઘવારી ફાટીને ધૂમાડે ગઈ છે. સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડે તો મોંઘવારી ઘટે તેવી આશા લોકો રાખી રહ્યા છે અને ભાવો ઘટે તો મોંઘવારીની પીડા મટે નહીં, પણ રાહત તો થાય, તેવી ચર્ચા થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ ક્રૂડના ભાવ ૬૬ ડોલર ઘટ્યા છતાં ૧૪ માસથી પેટ્રોલ-ડીઝલમાં રાહત નહીં. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવના કારણે ટમેટા, ઘઉં, કઠોળ સહિતની જીવનજરૃરી ચીજો મોંઘી થતાં પ્રજા હેરાન થાય છે. ઈંધણના ભાવમાં મે, ર૦રર પછી કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં આવ્યે નથી. રશિયાએ ભારતને સસ્તુ ક્રૂડ ઓઈલનું વેંચાણ કર્યું હોવા છતાં તેનો લાભ સ્થાનિક ગ્રાહકોને મળ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial