Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના કલેકટર દ્વારા કરાયું સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારોનું સન્માન

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત

ખંભાળીયા તા. ર૯ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોકકુમાર શર્માના હસ્તે સ્વાતંત્ર્ય સેનાના પરિવારોનું સન્માન કરાયું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમના પરિવારજનોનો સન્માન કાર્યક્રમ ગઈકાલે દ્વારકા જિલ્લા કલેકટર કચેરી ખંભાળીયામાં યોજાયો હતો.

સ્વાતંત્ર્ય સેનાની સ્વ. રમણભાઈ લીલાધર વાયડાના ધર્મ પત્ની મનોરમાબેન વાયડા, પુત્ર પ્રદિપભાઈ, અશોકભાઈ પુત્રવધૂ કુંજનાબેન વાયડા, સ્વાતંત્ર્ય સેનાની સ્વ. રાઘુભા ગોવિંદજી રાઠોડના પુત્ર ધીરૃભા રાઠોડ, સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મોહનભાઈ મોદીના પુત્ર મિલનભાઈ મોદી, સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ચંદ્રકાંતાબેનના પુત્ર ચૈતન્યનાથ ધારેમાન તથા તેમના પુત્રી ઈરશીતાબેન, સ્વાતંત્ર્ય સેનાની સ્વ. દયાકુંવરબેન નારણદાસ દવેના પુત્ર નલિનકાંત દવે તથા રાધાકાંત દવે ઉપસ્થિત રહ્યા હતાં.  ઉપસ્થિત સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનોને શાલ ઓઢાડી તથા પ્રશસ્તીપત્ર આપી સન્માનિત કરાયા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોકકુમાર શર્મા સાથે અધિક નિવાસી કલેકટર ભુપેશકુમાર જોટાણીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા વિ. જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh