Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોજગાર કચેરી અને કોલેજના સંયુક્ત ઉપક્રમે
જામનગર તા. ર૯ઃ રોજગારકચેરી જામનગર અને વિદ્યાસાગર કોલેજના સંયુક્ત ઉપક્રમે રોજગાર અને પાસપોર્ટ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. જેનો લાભ ૧૦૪ વિદ્યાર્થીઓએ લીધો હતો.
રોજગાર કચેરી જામનગર અને વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ જામનગર દ્વારા તા. ર૮ જૂનના વિદ્યાસાગર કોલેજમાં રોજગાર અને પાસપોર્ટ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું. આ કારકિર્દી, રોજગારલક્ષી અને વિદેશ રોજગાર પાસપોર્ટ માર્ગદર્શન સેમિનારમાં શરૃઆતમાં આચાર્ય શ્રીરામ કેવલરામાણી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
જિલ્લા રોજગાર કચેરી જામનગરના એમ્પેક્ષ બી કેરિયર કાઉન્સેલર અંકીતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ, રોજગાર કચેરીમાં નામ નોંધણી અને ભરતીમેળાઓ વિષે માહિતી અને માર્ગદર્શન પીપીટી દ્વારા આપવામાં આવેલ અને એપ્લિકેશન દ્વારા ઓન ધી સ્પોટ રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. વિદેશ રોજગાર સેલ રાજકોટના અલ્તાફભાઈ ડેરૈયા દ્વારા પાસપોર્ટ કેમ કઢાવવો, વિદેશમાં રોજગારી અને એજ્યુકેશન, વિઝા માટેની પ્રોસેસ વગેરે વિષે વિગતવાર પીપીટી વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનારના અંતે આચાર્ય શ્રીરામ કેવલરામાણી દ્વારા આભારદર્શન કરીને આવા સેમિનાર દરેક હાઈસ્કૂલોમાં અને કોલેજમાં થાય અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને રોજગારીની તકો મળે તેમજ તેઓ અનુબંધમ પોર્ટલનો ઉપયોગ વધુ કરતા થાય એવા ઉદ્બોધન સાથે સેમિનાર પૂર્ણ કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ૧૦૪ ભાઈઓ-બહેનોને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં આચાર્ય શ્રીરામ કેવલરામાણી, પ્રોફેસર હીનાબેન સફિયા, ડોલીબેન ચૌહાણ, ધારાબેન રાયઠઠ્ઠા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં તેમ મદદનીશ નિયામક રોજગારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial