Advertisement
Author: નોબત સમાચાર

એએસીએ દ્વારા કલાસંગમ, લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ તથા એજીએમ કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં સતત ૩૨મા વર્ષે અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા, વિધાર્થી સન્માન સમારોહ, સિનિયર મેમ્બર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. ગત વર્ષે ઉત્તીર્ણ થયેલા તેજસ્વી વિદ્યાર્થઓને પ્રોત્સાહિત કરવા ગિફ્ટ હેમ્પરનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના મંત્રી પ્રદીપભાઈ મહેતાએ જણાવેલ કે વર્ષ ૨૦૨૩નો લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સિનિયર મેમ્બર શ્રી અશોકભાઈ સોનીને એનાયત કરવામાં આવ્યો હતો. શાલ ઓઢાડી શ્રી સંદીપભાઈ શાહ તથા સંસ્થાના પ્રમુખ શ્રી સમીરભાઈ શાહે મોમેન્ટો આપી તેઓનું સન્માન કર્યું હતું તથા ૩૨મી વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મીડિયા જગતની અગ્રણી સંસ્થા એએસીએ બિઝનેસ સંબંધિત કાર્યક્રમોની સાથે સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh