Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ ભાજપના અલ્પકાલિન વિસ્તારકોની કાર્યશાળા યોજાઈ

ખંભાળીયા તા. ર૯ઃ ખંભાળીયામાં ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવીની અધ્યક્ષતામાં અને રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ભાજપના અલ્પકાલિન વિસ્તારકોની કાર્યશાળા યોજાઈ હતી.

ઓનલાઈન કાર્યશાળામાં એક લાખથી વધુ વિસ્તારકો તથા બુથ પ્રમુખો જોડાયા હતાં. પ્રદેશ પ્રમુખ સહિત નેતાઓએ માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ડો. શ્યામા પ્રસાદ મુખરજીની મૃત્યુતિથિ નિમિત્તે બલિદાન દિવસ હોય તેમની તસ્વીરને ફુલહાર કરી સ્મરણાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રભારી ધર્મરાજસિંહ જાડેજા, મહામંત્રીઓ રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોઝીયા ન.પા. પ્રમુખ ભાવનાબેન પરમાર, સી.આર. જાડેજા, હિનાબેન આચાર્ય, ગીતાબા જાડેજા, કશ્યપભાઈ ડેર, હિતેન્દ્રભાઈ આચાર્ય, નિમિષાબેન નકુમ, રાજુભાઈ વગેરે હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh