Advertisement
Author: નોબત સમાચાર

જાણીતા પદ્મભૂષણ આર્કિટેક્ટ બી.વી. દોશીનું નિધન

અમદાવાદ તા.૨૪ઃ જાણીતા આર્કિટેક્ટ બી.વી.દોશીનું ૯૫ વર્ષની વયે અમદાવાદમાં આજે નિધન થયું છે. તેમના અવસાનથી સ્થાપત્ય ક્ષેત્રે યુગનો અંત થયો છે. અમદાવાદની ઓળખ ગણાતા એવા આઈઆઈએમના તેઓ આર્કિટેક્ટ હતા. આઈઆઈએમ-એ ઉપરાંત ફ્લેમ યુનિવર્સિટી, આઈઆઈએમ ઉદયપુર, આઈઆઈ બેંગ્લોર, એનઆઈએફટી દિલ્હી, સેપ્ટ યુનિવર્સિટીમાં પણ હતા. આ  ઉપરાંત તેમણે લુઈ કાહ્ન સાથે સહયોગી તરીકે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના અમદાવાદના ભવનનું કામ કર્યું હતું અને એક દાયકા સુધી તેઓ જોડાયેલા રહ્યા હતા.અમદાવાદમાં શ્રેયસ સ્કૂલ, સેપ્ટ યુનિવર્સિટી, અટીરા ગેસ્ટ હાઉસ, પ્રેમાભાઈ હોલ, ટાગોર હોલ, અમદાવાદની ગુફા, કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ વગેરે તેમની જાણીતી ડિઝાઈન્સ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh