Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં તરછોડાયેલા બળદોને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા આશરો અપાયો

ખંભાળિયા તા.૨૪ઃ ખંભાળિયામાં છેલ્લા કેટલાક દિવસથી માલિક દ્વારા તરછોડાયેલા ત્રણ વૃદ્ધ બળદને એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા આશરો આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખંભાળિયામાં કોઈ પશુમાલિક દ્વારા ત્રણ વૃદ્ધ અને અશક્ત બળદને તરછોડી દેવામાં આવ્યા હતાં. આ બાબતની જાણ ભાણવડનાં એનિમલ લવર્સ ગ્રુપનાં અશોકભાઈ ભટ્ટને થતા તેમણે ખંભાળિયા એનિમલ કેર્સ ગ્રુપનાં દેસુરભાઈ ધમા તથા અશોકભાઈએ આ ત્રણેય બળદોને રામનાથ ગૌ સેવાના હિતેન્દ્ર આચાર્યનાં સહયોગથી  ગૌશાળામાં રાખવા તથા તેના માટે ઘાસચારા, પાણી વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી અને તેના જીવ બચાવ્યા હતાં. કારણકે આ બળદો ભૂખ્યા, તરસ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh