Advertisement
Author: નોબત સમાચાર

કેન્દ્રિય બજેટમાં ફરી રજૂ થઈ શકે છે આવકવેરા માફી યોજના

નવી દિલ્હી તા. ર૪ઃ ટેક્સ વિવાદોના ઉકેલ માટે વિવાદ સે વિશ્વાસ અને સબકા વિશ્વાસ જેવી આવકવેરા માફી યોજનાઓના પ્રથમ તબક્કાની સફળતાને જોતા સરકાર આ વખતે બજેટમાં તેના બીજા તબક્કાની જાહેરાત પણ કરી શકે છે. એટલે કે જુના ટેક્સ વિવાદોના સમાધાન માટે બીજી તક મળવાની સંભાવના છે. આ મામલા સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, નાણા મંત્રાલય આવી સ્કીમ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે, યોજના સંબંધિત ટેક્સ વિવાદોમાં ૧૦ થી ર૦ ટકા દંડ લાદવાની શક્યતા પર વિચાર કરી રહી છે, જ્યારે સામાન્ય રીતે ટેક્સ વિવાદોમાં ભારે દંડ લાદવામાં આવે છે. આ પ્રકારની કર માફી યોજનાને એમ્નેસ્ટી સ્કીમ કહેવામાં આવે છે. સરકારનું માનવું છે કે, આ યોજનાથી પેન્ડીંગ કેસોનું ભારણ ઘટશે. આ સિવાય આમાંથી ૩૮ હજાર કરોડ રૃપિયાની આવક પણ થઈ શકે છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ જ્યારે સરકારે આવી યોજના જાહેર કરી હતી ત્યારે તેને ઘણી સફળતા મળી હતી. આ સાથે લભગભગ ૯ર હજાર કરોડ રૃપિયાની આવક પણ થઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, આ સ્વ-ઘોષણા હેઠળ જુના ટેક્સ કેસોનો નિકાલ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh