Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જોડિયા તા. ર૪ઃ જોડિયાના શ્રી ગીતા વિદ્યાલયના માનસ મંદિરમાં છેલ્લા ૩૦ વર્ષથી શ્રીરામ ચરિત માનસની ચોપાઈના અખંડ પાઠ કરવામાં આવી રહ્યા છે. જેનો ૩૧ મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે તા. ર૮/૧ અને તા. ર૯/૧ ના શ્રી રામ ચરિત માનસની પ્રત્યેક ચોપાઈ દ્વારા 'હમાત્મક યજ્ઞ'નું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે સાધકો, ભાવિકો અને ભક્તજનો યજ્ઞમાં બેસીને તેનો લાભ લઈ શકશે.અત્રે ઉલ્લેખનિય છે કે, જોડિયામાંપ.પૂ. સંત વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રસ્ટ, ગીતા વિદ્યાલયના માનસ મંદિરમાં સુપ્રસિદ્ધ રામકથાકાર પ.પૂ. મોરારીબાપુના શુભ આશિષ અને વિશ્વ કલ્યાણ અર્થે પ.પૂ. સંત વિરાગમુનિએ ગત્ તા. ર૯-૧-૧૯૯૩ ના શ્રી રામ ચરિત માનસની ચોપાઈના અખંડ પાઠનું અનુસ્ઠાન શરૃ કરાવ્યું હતું. જે છેલ્લા ૩૦ વર્ષથી ચોવીસે કલાક ચાલુ છે. સર્વે ભાવિકોને હોમાત્મક યજ્ઞનો લાભ લેવા ગીતા વિદ્યાલય પરિવાર-જોડિયાધામ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે તેમ વિનુભાઈ કાનાણી દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag