Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૧ર૯ જર્જરિત ઈમારતને સેઈફ સ્ટેજે લઈ જવા મનપાની નોટીસ

જરૂર પડ્યે મનપાનું તંત્ર જોખમી હિસ્સો તોડી પાડશે

જામનગર તા. ર૭ઃ જામનગરમાં ૧ર૯ જર્જરિત ઈમારતોને સેઈફ સ્ટેજે લઈ જવા માટે તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી છે. જેમાં ત્રણ ઈમારતો અતિ જર્જરિત હોવાથી તેને ખાસ તાકિદ કરવામાં આવી છે. અન્યથા જરૂર પડ્યે મહાનગર પાલિકા જરૂરી હિસ્સો તોડી પાડવામાં આવશે.

જામનગર મહાનગર પાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઈમારતો અંગે અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૧૮૮ ઈમારતો જર્જરિત હોવાનું જાણવા મળતા તેમના કબ્જેદારોને નોટીસ આપી જર્જરિત ઈમારતોને સેફઈ સ્ટેજે લઈ જવા જણાવાયું હતું.

જે અન્વયે ૮૮ ઈમારતોમાં મરામત કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી. જ્યારે ૧૦૦ ઈમારતો હજુ પણ યથાવત સ્થિતિમાં છે. આ પછી તાજેતરમાં ફરી એક વખત સર્વે કરવામાં આવતા જેમાં વધુ ર૯ ઈમારતો જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. આથી વર્તમાન ર૯ અને અગાઉની બાકી રહેતી ૧૦૦ મળી કુલ ૧ર૯ જર્જરિત ઈમારતનો કબ્જેદારને નોટીસ પાઠવાઈ છે અને આવી ઈમારતોને સેઈફ સ્ટેઈજે લઈ જવા તાકીદ કરવામાં આવી છે જેથી આગામી ચોમાસાની સિઝનમાં અકસ્માતને ટાળી શકાય.

૧ર૯ માંથી ત્રણ ઈમારતો અતિ જર્જરિત હાલતમાં છે. આ ત્રણેય ઈમારતના કબ્જેદારને ખાસ તાકીદ કરવામાં આવી છે. જરૂર પડયે આ ત્રણેય ઈમારતનો જર્જરિત હિસ્સો મહાનગર પાલિકા દ્વારા તોડી પાડવામાં આવશે તેમ મહાનગર પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh