Advertisement
Author: નોબત સમાચાર

જંતુનાશક દવાના છંટકાવથી પાક નિષ્ફળ જવા અંગેની ફરિયાદ નામંજૂર

કલ્યાણપુરના સતાપરના ખેડૂતે કરી હતી ફરિયાદઃ

જામનગર તા.૨૭: કલ્યાણપુરના સતાપરના એક ખેડૂતે પોતાના મગફળીના ઉભા પાકમાં જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હોવાનું જણાવી વળતર મેળવવા તે દવા બનાવનાર અને વેચનાર બે પેઢી સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. તે ફરિયાદ રદ્દ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના સતાપરમાં રહેતા હિતેશભાઈ કાનાભાઈ માડમ નામના ખેડૂતે પોતાના ખેતરમાં મગફળીના પાકમાં જીવાતના નાશ માટે ભાટિયામાં આવેલી યાદવ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી જંતુનાશક દવા ખરીદી હતી. દવા સાથે તેઓએ સોરેસ પણ ખરીદ્યુ હતું.

તે પછી દવા-સોરેસનો છંટકાવ આ ખેડૂતે કર્યા પછી તેઓનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતાં ડઘાયેલા ખેડૂતે જંતુનાશક દવાના વપરાશથી પોતાનો પાક ફેઈલ ગયો હોવાનું જણાવી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં મગફળીની બજાર કિંમત રૃા.૬ લાખ ર૪ હજાર અને વાવેતર ખર્ચના રૃા.૫૦ હજાર તથા વળતરના રૃા.પ હજાર અને ફરિયાદ ખર્ચના રૃા.૧૦ હજાર મેળવવા યાદવ એગ્રો તથા અદામા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સામે ફરિયાદ કરી હતી.

તે ફરિયાદ ચાલવા પર આવતા સામેવાળી પેઢીઓ તરફથી હાજર થયેલા વકીલ હિતેશ સોનગરાએ દલીલ કરી હતી કે, ખેડૂતે જંતુનાશક દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કર્યાે નથી અને વાવેતર, માવજતમાં પણ બેદરકારી રહેતા પાક નિષ્ફળ ગયો છે. ફોરમે તે દલીલ ગ્રાહ્ય રાખી ખેડૂતની ફરિયાદ નામંજૂર કરતો હુકમ કર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh