Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વાદળો અને વાયરાઓ વચ્ચે બે ડીગ્રીનો ઘટાડો

જામનગર તા. ર૭ઃ જામનગરના નભમાં વાદળોની આવન-જાવન અને તેજીલા વાયરાઓના પગલે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો બે ડીગ્રી નીચે ગગડીને ૩૭.૧ ડીગ્રીને પહોંચી ગયો હતો. જેના પગલે આકરા તાપમાં ઘટાડો થયો હતો. બફારાના કારણે જનતાને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જામનગરમાં પલટાયેલા હવામાનના પગલે નભમાં વાદળોના આટાફેરા જોવા મળી રહ્યા છે. વાદળોના આવાગમન અને ઝપાટાબંધરીતે ફૂંકાતા તેજીલા વાયરાઓના પગલે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન બે ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૭.૧ ડીગ્રી જ્યારે અડધા ડીગ્રીથી વધુ વધીને લઘુતમ તાપમાન ર૯.૩ ડીગ્રી નોંધાયું હતું. મહત્તમ તાપમાનમાં થયેા ઘટાડાના પગલે આકરા તાપમાં પણ ઘટાડો થયો હતો.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૭ ટકા વધીને વતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા રહ્યું હતું. વાતાવરણમાં ભેજના આટલા વધુ પ્રમાણના પગલે બફારામાં પણ વધારો થયો હતો. અસહ્ય બફારાથી જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેજીલા વાયરાઓના કારણે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ રાહત અનુભવી હતી. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૩૦ થી ૩પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh